રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બિહારના નાયબ મુખ્યમંત્રીએ બિહાર માટે ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો સહિત સાત ટ્રેનોને લીલી ઝંડી આપી. ત્રણ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો મુઝફ્ફરપુરથી ચારલાપલ્લી, દરભંગાથી મદાર જંકશન અને છાપરાથી આનંદ વિહાર ટર્મિનલને જોડશે. રેલ્વે મંત્રી નવી દિલ્હીથી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમમાં જોડાયા અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ પટણા જંકશનથી ટ્રેનોને લીલી ઝંડી આપી.
ચાર નવી પેસેન્જર ટ્રેનો નવાદા, ઇસ્લામપુર, બક્સર અને ઝાઝા સહિતના મુખ્ય શહેરોને જોડે છે. બિહારમાં ત્રણ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનો શરૂ થવાથી રાજ્યની કનેક્ટિવિટીમાં વધુ સુધારો થશે.
