Home National PM મોદી G20 સમિટ માટે જોહાનિસબર્ગ પહોંચ્યા: વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે

PM મોદી G20 સમિટ માટે જોહાનિસબર્ગ પહોંચ્યા: વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે

0
PM મોદી G20 સમિટ માટે જોહાનિસબર્ગ પહોંચ્યા: વૈશ્વિક મુદ્દાઓ પર ભારતનો દ્રષ્ટિકોણ રજૂ કરશે


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય G20 નેતાઓના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યા છે. 2016 પછી પ્રધાનમંત્રી મોદીની આ દક્ષિણ આફ્રિકાની ચોથી સત્તાવાર મુલાકાત છે, અને 2014 બાદનું તેમનું 12મું G20 શિખર સંમેલન છે.


‘વસુધૈવ કુટુંબકમ’ વિઝન અને દક્ષિણ આફ્રિકાની પ્રાથમિકતાઓ


પ્રધાનમંત્રીએ તેમના પ્રસ્થાન નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સમિટ મુખ્ય વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે. તેઓ સંમેલનમાં ‘વસુધૈવ કુટુંબકમ’ અને એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ના ભારતના દ્રષ્ટિકોણને રજૂ કરશે. આ વર્ષના સંમેલનની વિષયવસ્તુ “એકતા, સમાનતા અને ટકાઉપણું” છે. આ G20 સંમેલન ગ્લોબલ સાઉથમાં આયોજિત સતત ચોથી સમિટ છે. દક્ષિણ આફ્રિકાએ તેના પ્રમુખપદ હેઠળ આપત્તિ સ્થિતિસ્થાપકતા, ઓછી આવક ધરાવતા દેશો માટે દેવાનું ટકાઉપણું, ન્યાયી ઉર્જા સંક્રમણ માટે નાણાં એકત્ર કરવા અને મહત્વપૂર્ણ ખનિજોનો ઉપયોગ કરવાને પ્રાથમિકતા આપી છે. G20 સંમેલન સિવાય, શ્રી મોદી દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા અને અન્ય નેતાઓને મળશે, તેમજ ભારત-બ્રાઝિલ-દક્ષિણ આફ્રિકા (IBSA) નેતાઓની બેઠકમાં પણ ભાગ લેશે.