કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે તેમના હોમ ટાઉન અમદાવાદના પ્રવાસે છે, જ્યાં તેઓ સ્વાસ્થ્ય, માળખાગત સુવિધાઓ અને સામાજિક ક્ષેત્રના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. દિવસની શરૂઆતમાં શ્રી શાહ ઈન્ડિયન મેડિકલ એસોશિએશન (IMA) દ્વારા આયોજિત ‘IMA નેટકોન 2025’ માં સહભાગી થયા હતા. અહીં તેમણે તબીબી ક્ષેત્રે IMAના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે આયુષ્માન ભારત જેવી યોજનાઓએ દેશના આરોગ્ય માળખામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા નિર્મિત નવી ડ્રેનેજ પાઇપલાઇન અને એસ.જી. હાઈવેના પ્રથમ તબક્કાના પાઇલટ પ્રોજેક્ટનું તેઓ લોકાર્પણ કરશે. આ ઉપરાંત, સામાજિક ન્યાયના ભાગરૂપે તેઓ નવા વણઝરના અસરગ્રસ્ત પરિવારોને ‘સનદ’ અર્પણ કરી તેમને માલિકી હક આપશે. બપોર બાદ તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘યુવા બિઝનેસ મહાસમેલન 2025’નું ઉદ્ઘાટન કરી યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરશે. દિવસના અંતે, મણિપુર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ ‘નમોત્સવ’ માં ઉપસ્થિત રહી પ્રેરણા પાથેય પૂરું પાડશે.