ગુજરાત ચૂંટણી પંચ દ્વારા વિશેષ સઘન સુધારણા (S.I.R.) પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નવી મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ પ્રક્રિયાના અંતે રાજ્યમાં કુલ 4 કરોડ 34 લાખ જેટલા મતદારો નોંધાયા છે. મહત્વનું છે કે, આ દરમિયાન ડેટા શુદ્ધિકરણ માટે 73.73 લાખથી વધુ નામો યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. છેલ્લા દોઢ મહિનામાં રાજ્યભરના 50,963 BLO દ્વારા ઘરે-ઘરે જઈને ગણતરીપત્રક વિતરણ અને મેપિંગની કામગીરી કરવામાં આવી હતી.
કુલ 5.08 કરોડ પૈકી 4.34 કરોડ મતદારોના ગણતરીપત્રકનું સંપૂર્ણ ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. વાંધા-સૂચનો માટેની સમયમર્યાદાચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદારને નામ કે વિગતો સામે વાંધો હોય તો તેઓ 18 જાન્યુઆરી 2026 સુધી પોતાના દાવા રજૂ કરી શકશે. આ વાંધાઓનો નિકાલ 10 ફેબ્રુઆરી 2026 સુધીમાં કરવામાં આવશે.