Home National વંદે માતરમ્: 150 વર્ષની ગૌરવગાથા-PM મોદીએ સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું

વંદે માતરમ્: 150 વર્ષની ગૌરવગાથા-PM મોદીએ સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું

0
વંદે માતરમ્: 150 વર્ષની ગૌરવગાથા-PM મોદીએ સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગીત “વંદે માતરમ્” ના ૧૫૦ વર્ષ પૂરા થવા નિમિત્તે યોજાનાર વર્ષભરના સ્મરણોત્સવનું ઉદ્ઘાટન કર્યું. આ અવસરે તેમણે એક સ્મારક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડ્યો. PM મોદીએ “vandemataram150.in” પોર્ટલનો પણ શુભારંભ કર્યો, જેના દ્વારા નાગરિકો રાષ્ટ્રીય ગીત ગાતા તેમના વીડિયો અપલોડ કરીને પ્રમાણપત્ર મેળવી શકે છે. નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે, વંદે માતરમ્ માત્ર એક ગીત નહીં, પણ એક મંત્ર, ઊર્જા અને સંકલ્પ છે. તેમણે જણાવ્યું કે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે આ ગીત દ્વારા સ્વતંત્ર, સંયુક્ત અને સમૃદ્ધ ભારત માટે આહવાન કર્યું હતું, જે દરેક યુગમાં સુસંગત છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે પણ ‘આનંદમઠ’ને સ્વતંત્ર ભારતનું સ્વપ્ન ગણાવ્યું હતું, જેનો ભાગ આ ગીત છે.


કાર્યક્રમમાં મહાનુભાવોની હાજરી અને ઇતિહાસ


આ કાર્યક્રમમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યા હતા. વંદે માતરમ્ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા ૭ નવેમ્બર ૧૮૭૫ના રોજ લખવામાં આવ્યું હતું અને સૌપ્રથમ તેમની નવલકથા ‘આનંદમઠ’ના ભાગ રૂપે બંગદર્શન સાહિત્યિક જર્નલમાં પ્રકાશિત થયું હતું.