આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છત્તીસગઢના એક દિવસીય પ્રવાસે પધાર્યા છે. રાજ્યની સ્થાપનાના 25મા વર્ષની રજત જયંતિની ઉજવણીમાં રાયપુરમાં તેઓ મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે.આ ઐતિહાસિક પ્રસંગે પીએમ મોદી 14,260 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. રાજધાનીમાં રોકાણ દરમિયાન તેઓ ચાર અન્ય મહત્વના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેશે.
