પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના ડેડિયાપાડા ખાતે મુખ્ય યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 નવેમ્બરના રોજ ‘આદિવાસી ગૌરવ દિવસ’ નિમિત્તે ગુજરાતના નર્મદા જિલ્લાની મુલાકાત લેશે. તેઓ દેવમોગરા મંદિરમાં દર્શન કર્યા બાદ, બપોરે 2:45 વાગ્યે ડેડિયાપાડા પહોંચીને ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. આ પ્રસંગે, પ્રધાનમંત્રી 9,700 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જે આદિવાસી સશક્તિકરણ, માળખાગત સુવિધાઓ, આરોગ્ય અને શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પ્રધાનમંત્રી PM-JANMAN અને DA-JAGUA યોજના હેઠળ બાંધવામાં આવેલા એક લાખ મકાનોના ગૃહ પ્રવેશ સમારોહમાં ભાગ લેશે. આશરે 1,900 કરોડના ખર્ચે 42 એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ (EMRS નું ઉદ્ઘાટન અને 50 નવી EMRSનો શિલાન્યાસ કરવામાં આવશે, જે આદિવાસી બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડશે. આદિવાસી વિસ્તારોમાં સુધારેલી કનેક્ટિવિટી માટે ગુજરાતના 14 જિલ્લાઓ માટે 250 બસોને લીલી ઝંડી આપવામાં આવશે અને 748 કિલોમીટરના નવા રસ્તાઓનો શિલાન્યાસ કરાશે. આ પ્રોજેક્ટ્સ આદિવાસી સમુદાયોના ઉત્થાન અને ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત સુવિધાઓ સુધારવાના સરકારના સંકલ્પને મજબૂત બનાવે છે.